જાણો અમદાવાદ સિવાય અન્ય કયા શહેરોમાં કાઢવામાં છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા
Jagannath Rath Yatra 2025: હિંદુ ધર્મમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ રથયાત્રામાં હજારો ભાવિ-ભક્તો જોડાય છે. અમદાવાદમાં ખૂબ ધામ-ધૂમથી રથયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે આપણે એ પણ જાણવું ખૂબ જરૂરી છે કે અમદાવાદ સિવાય અન્ય ક્યાં ક્યાં રથયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે ચાલો આ લેખમાં આના વિશે જાણીએ.
ભગવાન જગન્નાથની પ્રખ્યાત રથયાત્રાઓ નીચે મુજબના સ્થળોએ કાઢવામાં આવે છે.
- પુરી, ઓડિશા (ભારત)
- આ સૌથી પ્રખ્યાત અને પ્રાચીન રથયાત્રા છે, જે પુરીના જગન્નાથ મંદિરથી શરૂ થાય છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથોને ગુંડિચા મંદિર સુધી ખેંચવામાં આવે છે. આ યાત્રા આષાઢ માસની શુક્લ પક્ષની દ્વિતીયા તિથિએ યોજાય છે.
- અમદાવાદ, ગુજરાત (ભારત)
- ગુજરાતના અમદાવાદમાં પણ રથયાત્રા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ યાત્રા જગન્નાથ મંદિર, જમાલપુરથી શરૂ થાય છે અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થાય છે.
- મહેશ, હુગલી, પશ્ચિમ બંગાળ (ભારત)
- પશ્ચિમ બંગાળના મહેશ ખાતે યોજાતી રથયાત્રા ભારતની બીજી સૌથી જૂની રથયાત્રા માનવામાં આવે છે, જે 1396થી શરૂ થઈ હોવાનું કહેવાય છે.
- બરોડા (વડોદરા), ગુજરાત (ભારત)
- વડોદરામાં પણ રથયાત્રા ભવ્ય રીતે ઉજવવામાં આવે છે, જેમાં હજારો ભક્તો ભાગ લે છે.
અન્ય સ્થળો (ભારત અને વિદેશ)
- ભારતના અન્ય શહેરો જેવા કે ભુવનેશ્વર, રાંચી, અને દિલ્હીમાં પણ રથયાત્રા યોજાય છે.
- આંતરરાષ્ટ્રીય સ્તરે, ISKCON (ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શસનેસ) દ્વારા લંડન, ન્યૂયોર્ક, ટોરોન્ટો, સિડની અને અન્ય ઘણા વિદેશી શહેરોમાં રથયાત્રા યોજવામાં આવે છે.
આ ઉપરાંત, ઘણા નાના શહેરો અને ગામડાઓમાં પણ સ્થાનિક જગન્નાથ મંદિરોમાં રથયાત્રા નાના પાયે ઉજવવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી